ખેરગામ આહિર સમાજ દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ.
ખેરગામ તાલુકા આહિર સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજના પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર તથા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ એક સરાહનીય સામાજિક સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી વિસ્તારની વાડ હાઈસ્કૂલના 123 અને બહેજ હાઈસ્કૂલના 30 વિદ્યાર્થીઓને મફત યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ચેતનભાઈ પટેલ, સામાજિક અગ્રણીશ્રી દિનેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
બંને શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમંડળે આહિર સમાજની આ ઉત્તમ પહેલને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. યુનિફોર્મ પ્રાપ્ત થતા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી, જે આ કાર્યની સફળતાનું પ્રતિબિંબ છે.
આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.


