Dahod News: દાહોદમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કુદરતી ખેતી કરતા ખેડૂતોનું સન્માન.

SB KHERGAM
0

 Dahod News: દાહોદમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કુદરતી ખેતી કરતા ખેડૂતોનું સન્માન.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જ્યાં પ્રાકૃતિક કૃષિ અને મિલેટ પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડૂતોના સન્માન માટે વિશેષ આયોજન કરાયું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા, અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે માહિતગાર કરાયા.

જશવંતસિંહ ભાભોરે જણાવ્યા મુજબ, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓમાં રોગોનું નિવારણ અને સ્વાસ્થ્ય પર સારી અસરનું મહત્વ છે. રાસાયણિક ખેતીના પ્રયોગોથી શરીરમાં અનેક રોગો પ્રવેશી ગયા છે, જેના લીધે આજે ઘણા લોકો આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અને આ પદ્ધતિથી આરોગ્યમય જીવન તરફ વળવા માટે પ્રેરિત કર્યા.

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી. આર. દવે, ડૉ. ડી. એલ. પટેલ, અને આત્મા યોજનાના સ્ટાફ સાથે અન્ય વિશેષ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top