Rajkot news : "રાજકોટમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ: રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટેનો સંકલ્પ"
રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસના ઉપક્રમે 31મી ઓક્ટોબરે મનાવવામાં આવતી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તારીખ 29મીએ 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, વેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી ગીતાબેન સોજીત્રા, ઇસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી મીતાબેન તેરૈયા, સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટરશ્રી શૈલેષભાઈ ટાંક સાથે અન્ય કોચ, ટ્રેનર અને સાધકો મળીને 150થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા અને સમાનતા પર ભાર મૂકી, સમાજમાં ભાઈચારો અને બંધુત્વની ભાવના વિકસાવવાનો હતો.