Santrampur: અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને સંતરામપુરમાં શ્રદ્ધાંજલિ અર્પણ
સંતરામપુરમાં સરદાર પટેલને આદરાંજલિ - 149મી જન્મ જયંતિ ઉજવણી
આજે સંતરામપુર નગરના બસ સ્ટેન્ડ ચોકડી ખાતે અખંડ ભારતના શિલ્પી, બંધારણના ઘડવૈયા, સ્વાતંત્ર સેનાની અને દેશના પથદર્શક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો.
આ અવસર પર મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર સાહેબે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના પ્રભાવશાળી જીવન અને સમર્પિત સેવાઓને યાદ કરી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિભિન્ન મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી, જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ, તાલુકા મંડળ પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલીયા, નગર સંગઠન પ્રમુખશ્રી સંદિપભાઈ ભોઈ, APMC ચેરમેન શાંતિલાલ પટેલ, અર્બન બેંકના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા.