Navsari: રાનકુવા હાઈસ્કૂલમાં વિકાસ સપ્તાહ 2024 અંતર્ગત લખપતિ દીદી યોજના સેમિનાર સંપન્ન

SB KHERGAM
0

 Navsari: રાનકુવા હાઈસ્કૂલમાં વિકાસ સપ્તાહ 2024 અંતર્ગત લખપતિ દીદી યોજના સેમિનાર સંપન્ન 

નવસારી,તા.૦૯: ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. નવસારી જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન  હેઠળ તારીખ ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ અંતર્ગત  થીમેટીકલ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ક્વિઝ સ્પર્ધા, પ્રતિજ્ઞા વાંચન તેમજ લખપતિ દીદી યોજના સેમિનાર, સોશિયલ ડિજિટલ મીડિયા ઝુંબેશ, યુવા વર્ગની સહભાગીતા, શાળા /કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

આજરોજ બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવામાં લખપતી દીદી યોજના અંતર્ગત બેંક સખી નીલમબેન માથુકિયા અને બકુલાબેન પટેલ NRSM કલસ્ટર કો-ઓર્ડીનેટર દ્વારા શાળાની ૩૫૭ દીકરીઓને લખપતિ દીદી યોજના અંગે માહિતી આપી હતી. આ યોજનામાં એવી મહિલાઓનો સમાવેશ થાય છે કે જેની વાર્ષિક આવક રૂપિયા 1,00,000  કે તેથી વધારે થઇ શકે તે માટે નાનામોટા ઉદ્યોગોની શરૂઆત કરવાથી લઇ પોતાની જરૂરિયાત માટે પરિવારના સભ્યો પર નિર્ભર ન રહે તે માટે આત્મનિર્ભર બનવા અંગે જાણકારી આપવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓમાં એક આત્મવિશ્વાસનો સંચાર થયો હતો આ યોજના અંગે પોતાની માતા અને બહેનો તથા ઘર અને ગામની મહિલાઓને આ અંગે જાગૃત કરવા દિકરીઓને અનુરોધ કરાયો હતો.

#TeamNavsari #infonavsari 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top