ખેરગામ માહ્યાવંશી મહોલ્લામાં ડામર રસ્તાનું ખાતમુહૂર્ત.
ખેરગામના માહ્યાવંશી મહોલ્લામાં 1.57 લાખના ખર્ચે ડામર રસ્તા નિર્માણના કામનું ખાતમુહૂર્ત કાર્ય મહિલા સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ માર્ગ વિક્રમભાઈ પરમારના ઘર સુધી બનાવવામાં આવશે.
ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્ય નિશાંત પરમાર સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા. સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું કે, 15મી નાણાંપંચ યોજનામાં મંજુર થયેલી આ યોજના હેઠળ રસ્તાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
લાભ:
માર્ગ નિર્માણથી ગ્રામજનોને અવરજવમાં સરળતા મળશે.
આસપાસના વિસ્તારમાં પરિવહન સુગમ બનશે.
ગ્રામ પંચાયતના પ્રયત્નોથી ખેરગામના વિવિધ વિસ્તારોમાં શેરી અને પેવરબ્લોકના કામો પણ પ્રગતિ પર છે, જેને લઈ ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છે.
- ગ્રામ પંચાયત, ખેરગામ