Gandhinagar: નાયબ માહિતી નિયામકશ્રીની આગેવાની હેઠળ ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના તમામ કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા.
ગાંધીનગર, મંગળવાર
દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજ્યના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી.
તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી પારુલ મણિયારની આગેવાની હેઠળ કચેરીના તમામ કર્મયોગીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.
નાયબ માહિતી નિયામકશ્રી અને જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા સામૂહિક પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, નાગરિકો ભારત વિકાસ પ્રતિજ્ઞા https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલની મુલાકાત લઇ પ્રતિજ્ઞા અંગેનું તેમનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકશે.
#VikasSaptah
#23yearsOfGrowth